અલકાપુરી ગરનાળા પાસે સીએનજી બસમાં આગ લાગતાં અફરાતફરી

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
અલકાપુરી ગરનાળા પાસે સીએનજી  બસમાં આગ લાગતાં અફરાતફરી 1 - image

વડોદરાઃ અલકાપુરી ગરનાળા નજીક આજે મોડી સાંજે સીએનજી બસમાં આગ લાગવાનો બનાવ  બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

અલકાપુરી ગરનાળા પાસેથી  સીએનજી બસ પસાર થઇ રહી હતી ત્યારે એકાએક ડ્રાઇવરની કેબિનમાં ભડકો થતાં અંદર બેઠેલા મુસાફરો ગભરાયા હતા અને તેઓ ફટાફટ નીચે ઉતરી ગયા હતા.તો બીજીતરફ ડ્રાઇવરે પણ સમયસૂચકતા રાખી બસ ઉભી રાખી હતી અને નીચે ઉતરી ગયો હતો.

અફરાતફરીના દ્શ્યો વચ્ચે ફાયર  બ્રિગેડ અને પોલીસ આવી હતી અને સ્થિતિ સંભાળી હતી.પ્રાથમિક વિગતો મુજબ,બેટરી સ્પાર્ક થવાને કારણે બસમાં આગ લાગી હોવાનું મનાય છે.પરંતુ થોડી જ વારમાં આગ કાબૂમાં લઇ લેવાતાં કોઇ ખાસ નુકસાન કે જાનહાનિ થયા નથી.


Google NewsGoogle News