વડોદરાના બકરાવાડીમાં લગ્નના વરઘોડામાં ડીજે વગાડવાના મુદ્દે મારામારી
image : Freepik
- લગ્નના વરઘોડામાં ડીજે પર ગીતો વગાડવાના મુદ્દે બોલાચાલી થતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને શોધખોળ હાથ ધરી છે.
વડોદરા,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર
વડોદરાના બરાનપુરા ચુનારાવાસમાં રહેતો સચિન શાંતિલાલ ચુનારા છૂટક મજૂરી કરે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 29 ઓક્ટોબરે અમારા મહોલ્લામાં અમિતભાઈના ઘરે લગ્ન પ્રસંગ હતો અને લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો બકરાવાડી કેમ્બેસો મીલની સામે કમલેશ પાનના ગલ્લા પાસે આવતા ચુનારાવાસમાં રહેતા સુજલ બાબુભાઈ ચુનારા ડીજેમા વારંવાર ગીતો બદલતો હોવાથી મેં સુજલને કહેવા જતા તેને મારી સાથે બોલા ચાલી કરી ઝઘડો કર્યો હતો. સુજલનું ઉપરાણું લઈને રાજ આનંદભાઈ ચુનારા આવીને બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. સુજલએ ત્યાં પડી રહેલી લાદીનો પથ્થર લઈ મને ડાબા કાનની ઉપર માથાના ભાગે મારી દીધો હતો.
જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને શોધખોળ હાથ ધરી છે.