MSUના પદવીદાન સમારોહમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા હાજરી નહીં આપે

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
MSUના પદવીદાન સમારોહમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા હાજરી નહીં આપે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડો. ડી વાય ચંદ્રચૂડ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાના હતા અને દીક્ષાંત પ્રવચન પણ આપવાના હતા.જોકે જાણવા મળતી વિગતો અનુસાર તેમની વડોદરાની મુલાકાત રદ થઈ છે.ડો.ચંદ્રચૂડ આજે રાતની ફ્લાઈટ થકી વડોદરા પહોંચવાના હતા.જેના ભાગરુપે એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જોકે મોડી સાંજે વહિવટીતંત્રને ડો.ચંદ્રચૂડ પદવીદાન સમારોહમાં હાજરી નહીં આપે અને તેમની વડોદરાની મુલાકાત રદ કરવામાં આવી હોવાનો સંદેશો મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડો.ચંદ્રચૂડ હાજરી આપવાના હોવાના કારણે બપોરના સમયે યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનુ રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ.



Google NewsGoogle News