કૈલાસ માનસરોવરની ટૂરમાં બુકિંગ કરાવનાર મહિલા સાથે ૧.૮૫ લાખની ઠગાઇ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
કૈલાસ માનસરોવરની ટૂરમાં  બુકિંગ કરાવનાર મહિલા સાથે ૧.૮૫ લાખની ઠગાઇ 1 - image

વડોદરાઃ અમદાવાદની એક મહિલા સાથે કૈલાસ માનસરોવરની ટૂરના નામે છેતરપિંડી થતાં પોલીસે ટૂર ઓર્ગેનાઇઝર સામે ગુનો નોંધ્યો છે.

મકરપુરા ડેપો નજીક ગીરધરપાર્કમાં રહેતા લીલાબેન પરમારે પોલીસને કહ્યું છે કે,ભારત હોલીડે ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટૂર ઓર્ગેનાઇઝરના નામે કૈલાસ માન સરોવરની જાહેરાત જોઇને મેં કાલાઘોડા પાસે ગાર્ડનવ્યૂ ચેમ્બરના પહેલા માળે ઓફિસ ધરાવતા કલ્પેશ  બાબુલાલ પનારા (સરદાર નગર યોજનાના મકાનમાં, નારણપુરા, અમદાવાદ) નો સંપર્ક કર્યો હતો.

મારા પુત્રએ તેમને ફેબુ્રઆરી-૨૦૨૩માં રૃ.૧.૮૫ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ ટૂરની તારીખ જતી રહી હોવા છતાં તેમણે મને ટૂરમાં મોકલી નથી કે રૃપિયા પણ પરત આપ્યા નથી.પોલીસે એજન્ટની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News