વડોદરાના માંજલપુરમાં જ્વેલરી શોપ ચલાવતા વેપારી પર હુમલો

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના માંજલપુરમાં જ્વેલરી શોપ ચલાવતા વેપારી પર હુમલો 1 - image

image : Freepik

Crime News Vadodara : વડોદરાના માંજલપુરમાં વડસર નજીક સમન્વય સ્પર્શમાં રહેતા જીગ્નેશભાઈ ભાઈલાલભાઈ પટેલની આરના જ્વેલર્સ નામની દુકાન છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 15 મી તારીખે હું મારી પત્ની તથા મારો ભાઈ ગૌરાંગ દુકાને હાજર હતા. તે સમયે જુના ગ્રાહક જીગાભાઈ પઢીયાર રહેવાસી વડસર ગામ આવ્યા હતા. તેમને એક મહિના પહેલા અમારી દુકાન પર ચાંદીના ઝાંઝર 122 ગ્રામ વજનના જમા લઈને ઉછીના અઢી હજાર આપ્યા હતા. ત્યારબાદ સાંજે આવીને અઢી હજાર રૂપિયા પરત આપી કહ્યું કે ઝાંઝર મને પરત આપી દો. મેં તેને કહ્યું કે ઝાંઝર અન્ય જગ્યાએ સાચવીને મૂક્યા છે એક દિવસ પછી આવીને તમે લઈ જજો મારી વાત સાંભળી જીગાભાઈ ઉસ્કેરાય ગયા હતા અને મારા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. થોડા સમય પછી તેમનો દીકરો અને તેમનો એક મિત્ર સુજલ ભાલીયા સાથે તેઓ પરત આવ્યા હતા અને ત્રણેયએ ભેગા મળી મને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જીગાભાઈના દીકરાએ દુકાનમાં મુકેલ ખુરશી વડે મારા પર હુમલો કરતા મને આંગળીના ભાગે ઈજા થઈ હતી. જીગાભાઈએ મારી પત્નીને પણ ધક્કો માર્યો હતો.


Google NewsGoogle News