તાંદલજામાં દુકાન ખરીદનાર ગ્રાહક સાથે બિલ્ડરની છેતરપિંડી,નકશામાં દુકાન જ નહિં

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
તાંદલજામાં દુકાન ખરીદનાર ગ્રાહક સાથે બિલ્ડરની છેતરપિંડી,નકશામાં દુકાન જ નહિં 1 - image

વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં દુકાન નકશામાં નહિં હોવા છતાં દુકાન વેચાણ કરનાર બિલ્ડર સામે જે પી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

તાંદલજાના અમજદ પાર્કમાં રહેતા તૌસિફ સિરાજુદ્દીન સૈયદે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૦માં મારે દુકાન ખરીદવી હોવાથી મિત્ર મારફતે અસદખાન સુલતાનખાન પઠાણ(એસએસ એવન્યૂ, વાસણા-તાંદલજા રોડ) સાથે સંપર્ક થયો હતો.

અસદખાને તાંદલજામાં આવેલી અલ રહેમાન રેસિડેન્સીમાં રૃ.૨૨.૫૦ લાખની દુકાન બતાવી હતી.જે રૃ.૭ લાખનો દસ્તાવેજ ખરીદી હતી.આ દુકાન વેચવા માટે કોર્પોરેશનમાંથી નકશો કઢાવતાં તેમાં દુકાન જ નહતી.જેથી અસદખાનને પૂછતાં તેણે જૂનો નકશો છે.નવા નકશો આવી જશે તેમ કહી બહાના બતાવ્યા હતા.જેથી જેપી રોડ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News