વડોદરા: વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખનો મહીસાગર નદીમાંથી મૃતદેહ મળ્યો, પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું અનુમાન

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
વડોદરા: વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખનો મહીસાગર નદીમાંથી મૃતદેહ મળ્યો, પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું અનુમાન 1 - image


વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 18 ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદી માંથી મળી આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવી આવ્યું છે. આ બનાવની જાણ થતા ભાજપના દંડક શૈલેષ પાટીલ સહિત કાર્યકર્તાઓ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.

વોર્ડ નંબર 18 ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલને કેટલાક સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડા ચાલતા રહ્યા હતા જેના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું  અને આજે સવારે મહીસાગર નદી માંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.

આજે મહીસાગર નદી માંથી મૃતદેહ મળી આવતા આંકલાવ પોલીસે તપાસ કરતા તેનું નામ પાર્થ પટેલ હોવાનું જણાઈ આવતા તેમના પરિવારજનોને જાણ કરી હતી જે બાદ કોર્પોરેશનના દંડક અને તેમના ટેકેદારો આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડો હોવાનું બહાર આવ્યું છે.

પાર્થ પટેલના અવસાનથી ભાજપના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રસરી છે સ્વર્ગસ્થનો મૃતદેહ આંકલાવ ખાતેથી વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News