બોટ દુર્ઘટનામાં પકડાયેલા ત્રણ આરોપીઓની જામીન અરજી

આજે જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
બોટ દુર્ઘટનામાં  પકડાયેલા ત્રણ આરોપીઓની જામીન અરજી 1 - image

વડોદરા,બોટ દુર્ઘટના કેસમાં પકડાયેલી બે મહિલા સહિત ત્રણ આરોપીઓએે જામીન પર મુક્ત થવા માટે સેશન્સકોર્ટમાં અરજી કરી છે. જેની વધુ સુનાવણી આવતીકાલે હાથ  ધરવામાં આવશે.

હરણી લેકઝોન દુર્ઘટનામાં પોલીસ નાસતા ફરતા છ આરોપીઓને પકડવા માટે દોડધામ કરી રહી છે. આ કેસમાં પોલીસે જતીનકુમાર હિરાલાલ દોશી ( રહે. અયોધ્યાપુરી સોસાયટી, ભાદરવા ચોકડી તા. સાવલી), તેજલબેન આશિષભાઇ દોશી ( રહે. વ્રજ વિહાર સોસાયટી, એરપોર્ટ સામે, હરણી રોડ) તથા નેહાબેન દિપેનભાઇ દોશી ( રહે. રાજેશ્વર પ્લેનેટ, હરણી) ની ગત તા. ૨૯ મી એ ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થતા તેઓને  જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપીઓએ જામીન પર મુક્ત થવા માટે કોર્ટમાં કરેલી અરજીની વધુ સુનાવણી આવતીકાલે હાથ  ધરવામાં આવશે.


Google NewsGoogle News