વડોદરાના પંડયા બ્રિજ પાસે ટ્રાવેલની બસને ખસેડી લેવાનું કહી મેનેજર પર હુમલો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
વડોદરાના પંડયા  બ્રિજ પાસે ટ્રાવેલની બસને ખસેડી  લેવાનું કહી મેનેજર પર હુમલો 1 - image

વડોદરાઃ પંડયાબ્રિજ નજીક પાર્ક કરેલી ટ્રાવેલની બસને ખસેડી લેવાના મુદ્દે તકરાર થતાં ટ્રાવેલ ઓફિસના મેનેજર પર હુમલો કરવામાં આવ્યો હતો.

માંજલપુરના સાગરભાઇ મસાણીએ પોલીસને કહ્યું છે કે,શંકરવાડી પંડયા બ્રિજ પાસે અમારી ટ્રાવેલ ઓફિસ આવેલી છે.જે આનંદ કોડિયાત ચલાવી રહ્યા છે.ગઇરાતે એક પેસેન્જર આવતા હોવાથી બસ ઉભી રાખી હતી.

જે દરમિયાન કોઇ વ્યક્તિ મોબાઇલ લઇને આવી હતી અને અમારી ઓફિસ સંભાળતા આનંદ કોડિયાત સાથે ફોન પર વાત કરાવી હતી.સામે વાત કરનાર સંતોષ સાલેકરે બસ ખસેડી લેવા માટે કહ્યું હતું.જેથી આનંદે બસ સાઇડમાં જ છે,નડે તેમ નથી તેમ કહ્યું હતું.

થોડીવારમાં સંતોષ લક્ષ્મણ સાલેકર, મહાવીરસિંહ ચૌહાણ અને અક્ષય ઉત્તેકર (ત્રણેય રહે.શંકરવાડી,નવાયાર્ડ)આવી ગયા હતા અને આનંદને માર માર્યો હતો.તેને માથામાં કડુ વાગતાં ઇજા થઇ હતી.જેથી ટુવ્હીલર પર સારવાર માટે લઇ જતા હતા ત્યારે તેમની પાછળ દોડીને ફરીથી માર મારવામાં આવ્યો હતો અને બાઇકની ચાવી કાઢી લીધી હતી.ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News