પ્રેમિકાએ લગ્ન પછી આપઘાત કરી લેતા પ્રેમીએ પણ જીવન ટૂંકાવી દીધું

દેણા ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરના ઝાડ પર લટકતી લાશ મળી

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
પ્રેમિકાએ લગ્ન પછી આપઘાત કરી લેતા પ્રેમીએ પણ જીવન ટૂંકાવી દીધું 1 - image

 વડોદરા,પ્રેમિકાના લગ્ન થયા પછી પ્રેમ પ્રકરણની જાણ તેની સાસરીમાં થઇ જતા તેણે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ યુવકે પણ આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  કપુરાઇ ગામ રાઠોડ ફળિયામાં રહેતો ૨૩ વર્ષનો અરવિંદ ગોપાલભાઇ વાદી ટ્રાફિક શાખાની ટોઇંગ ક્રેનમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. ત્રણ દિવસ પહેલા તેણે મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, હવે હું જીવવા માંગતો નથી. ત્યારબાદ તેનો કોઇ પત્તો લાગ્યો નહતો. આજે સવારે દેણા ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરમાં ઝાડ પર લટકતી લાશ જોઇને એક શખ્સે પોલીસને જાણકરી હતી. જેના પગલે હરણી પોલીસ દોડી ગઇ હતી. પોલીસને મૃતકના ખિસ્સામાંથી બે મોાઇલફોન મળ્યા હતા. જેના આધારે  પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. તેઓએ આવીને ઓળખ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે,  અરવિંદને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેના લગ્ન થયા પછી  અરવિંદ હતાશ થઇ  ગયો હતો. લગ્ન  પછી પણ  અરવિંદઅને તેની પ્રેમિકા વાત કરતા હતા. જેની જાણ યુવતીના સાસરીમાં થઇ જતા તેણે ૧૪ મી તારીખે આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજી તરફ  અરવિંદે પણ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.  હરણી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News