Get The App

ઇલોરાપાર્કમાં ચેતવણી વગર તમાકુની પ્રોડક્ટ વેચતા વધુ બે દુકાનદાર પકડાયા

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News

 ઇલોરાપાર્કમાં ચેતવણી વગર તમાકુની પ્રોડક્ટ વેચતા વધુ બે દુકાનદાર પકડાયા 1 - imageવડોદરાઃ અકોટામાં તમાકુ મોત નોતરે છે તેવી ચેતવણી આપ્યા વગર તમાકુની પ્રોડક્ટ વેચતા ત્રણ વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યા બાદ ઇલોરા પાર્ક અને ગોત્રીરોડ વિસ્તારમાં વધુ બે દુકાનદાર સામે પોલીસ ફરિયાદ થઇ છે.

એસઓજીએ આઇનોક્સ પાસે પેટ્રિએટ કોમ્પ્લેક્સમાં આવેલી રાજધાની ટી એન્ડ પાન કોર્નરના સંચાલક પાર્થ નટરવરભાઇ પ્રજાપતિ (ધરમપુરા ,સ્વામિનારાયણ મંદિરપાસે, ઇલોરા પાર્ક) તેમજ હરિનગર ચાર રસ્તા પાસે સુનેર કોમ્પ્લેક્સમાં આવેલી શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રિંકના સંચાલક કાલીચરણ હરિલાલ અગ્રવાલ(શ્રી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ,લક્ષ્મીપુરા રોડ)ની અટકાયત કરી છે.



Google NewsGoogle News