નાસતો-ફરતો આણંદનો શખ્સ આખરે ધોળકાથી ઝડપાયો
10 વર્ષથી અપહરણના ગુનામાં
આણંદ: છેલ્લા ૧૦ વર્ષથી અપહરણના ગુનામાં નાસતા-ફરતા શખ્શને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધોળકા તાલુકાના રાજપુર ખાતેથી ઝડપી પાડયો હતો.વર્ષ ૨૦૧૪માં આણંદ પાસેના ગામડી ગામના બળીયાદેવ મંદિર નજીક ઈન્દિરા કોલોની ખાતે રહેતો કલ્પેશભાઈ રમેશભાઈ રાવળ એક સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. દરમ્યાન આ ગુનાનો આરોપી કલ્પેશભાઈ રાવળ ભોગ બનનાર સાથે ધોળકા તાલુકાા રાજપુર ગામે પટેલ વાસમાં રહેતો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે રાજપુર ગામે જઈ ખાત્રી કરી તપાસ કરતા કલ્પેશભાઈ રાવળ તથા ભોગ બનનાર મળી આવ્યા હતા. પોલીસે કલ્પેશ રાવળની પુછપરછ કરતા તે અપહરણના ગુનામાં નાસ્તો-ફરતો હોવાનું જણાવતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ અર્થે આણંદ શહેર પોલીસને હવાલે કર્યો હતો.