Get The App

સુરસાગર તળાવમાંથી ગાયનો કાપી નાખેલો પગ મળતા ઉશ્કેરાટ ફેલાયો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
સુરસાગર તળાવમાંથી ગાયનો કાપી નાખેલો પગ મળતા ઉશ્કેરાટ ફેલાયો 1 - image


Vadodara News : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાંથી ગાયનો પગ મળતા  ઉશ્કેરાટ ફેલાયો હતો પોલીસ તંત્ર એ સ્થળ પર પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં ઈદના દિવસે પણ કેટલાક તત્વો એ લાગણી દુભાય તેવા પ્રયાસો કરવા ચાર દરવાજા વિસ્તારમાં એક જગ્યાએ મટનના ટુકડા નાખીને ફેલાવ્યો હતો જે અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના બે દિવસ બાદ જ આજે સુરસાગર તળાવમાં કોઈ તત્વ એ મરેલી ગાયનો કાપેલો પગ નાખી જતા ઉશ્કેરાટ ફેલાયો હતો.

આ બનાવની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી જઈ મામલો કાબુમાં લીધો હતો જ્યારે આ બનાવને કારણે આજુબાજુના વિસ્તારના લોકો  સુરસાગર ખાતે પહોંચી ગયા હતા.



Google NewsGoogle News