ન્યૂ ખંડેરાવ રોડ પર રહેતા ૮૦ વર્ષના વૃદ્ધનું ઝાડાથી મોત

ચોવીસ કલાકમાં ઝાડાના નવા ૫૩ કેસ નોંધાયા

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
ન્યૂ ખંડેરાવ રોડ પર રહેતા ૮૦ વર્ષના વૃદ્ધનું ઝાડાથી મોત 1 - image

વડોદરા,શહેરના  ન્યૂ ખંડેરાવ રોડ પર રહેતા ૮૦ વર્ષના વૃદ્ધનું ઝાડાના કારણે મોત થયું છે.ચોવીસ કલાકમાં શહેરમાં ઝાડાના ૫૩ કેસ નોંધાયા છે. જ્યારે  ઝાડા ઉલટીનો એક કેસ નોંધાયે છે. 

ન્યૂ ખંડેરાવ રોડ છોટાભાઇ ટેરેસમાં રહેતા ૮૦ વર્ષના અરવિંદભાઇ બેચરભાઇ પટેલને બે દિવસથી ઝાડા થઇ  ગયા હતા. તેઓની દવા ચાલતી હતી. આજે અચાનક લોહીનો ઝાડો થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. કોર્પોરેશનની ટીમ દ્વારા ચોવીસ કલાક દરમિયાન કુલ ૨૪,૪૧૭ ઘરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન ઝાડાના નવા ૫૩ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે તાવના ૪૫૮ કેસ નોંધાયા છે. કુલ ૧,૮૧૩ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચોવીસ કલાક દરમિયાન ડેન્ગ્યૂના બે અને ટાઇફોઇડનો એક કેસ નોંધાયો છે.


Google NewsGoogle News