વડોદરામાં તા.૨૭ની સાંજે અમિત શાહ રોડ શો યોજાશે

રણમુક્તેશ્વરથી રોડ શો શરૃ થશે અને માર્કેટ ચાર રસ્તા પૂર્ણ કરાશે

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
વડોદરામાં તા.૨૭ની સાંજે અમિત શાહ રોડ શો યોજાશે 1 - image

વડોદરા, વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠકો પર તા. ૭મીએ મતદાન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર અંતિમ દિવસોમાં વેગવંતો બનાવવામાં આવનાર છે. વડોદરામાં તા. ૨૭ના રોજ સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો યોજાવાનો છે.

આ રોડ શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૃ થશે. જે નાની શાકમાર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર અને તાડફળિયા થઇ માર્કેટ ચાર રસ્તા પૂર્ણ થશે. રોડ શો સાંજે ૭ વાગે શરૃ થશે. વડાપ્રધાનનો ગુજરાતમાં બે દિવસનો ચૂંટણી પ્રવાસ શરૃ થાય તે અગાઉ તા. ૨૭ થી ૨૯ સુધી ગુજરાતના તમામ ઝોનમાં અમિત શાહની સભાઓ અને રોડ શોનું આયોજન કરાયું છે. 

પોલીસે આજે રોડ શોના રૃટ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત માટે કયાં પોઇન્ટ મૂકવા તેની પણ વિચારણા કરી હતી.


Google NewsGoogle News