હરણીની બોટ દુર્ઘટનામાં કોર્પોરેશની બેદરકારી અંગે પણ તપાસ

કેસને મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ રૃબરૃ નિવેદનો લેવામાં આવશે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
હરણીની બોટ દુર્ઘટનામાં કોર્પોરેશની બેદરકારી અંગે પણ તપાસ 1 - image

 વડોદરા,હરણીના લેકઝોનમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં સિટની તપાસ દરમિયાન કુલ ૧૩ આરોપીઓ પકડાઇ ગયા છે. જ્યારે મુખ્ય કોન્ટ્રાક્ટર  પરેશ શાહના પરિવારજનોને પકડવા માટે પોલીસની અલગ - અલગ ટીમો તપાસ કરી રહી છે. 

૧૫ દિવસ પહેલા હરણી તળાવમાં બોટ દુર્ઘટના સર્જાઇ હતી. લેકઝોનમાં ઓપરેટરની બેરદકારીથી બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર સહિત ૧૪ નિર્દોષોએ જીવ ગુમાવ્યા  હતા. આ બનાવની તપાસ માટે સિટની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, બનાવમાં કોર્પોરેશનની બેદરકારી અંગે પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની બેદરકારી અંગે પણ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.પોલીસની તપાસ દરમિયાન બોટિંગના કોન્ટ્રાક્ટ અંગે થયેલા ત્રિપક્ષીય કરારમાં અલ્પેશ ભટ્ટની સહી જોવા મળતાં અધિકારીઓએ કોર્પોરેશન પાસે ખૂલાસો માંગ્યો હતો.

થ્રી સ્ટાર નામની  બોટિંગ કંપની ધરાવતા અલ્પેશ ભટ્ટ પાસે બોટિંગનો સૌથી પહેલાં કોન્ટ્રાક્ટ હોવાની અને તેણે મુખ્ય સૂત્રધાર પરેશ શાહના પુત્ર વત્સલ  તેમજ નિલેશ જૈન સાથે ત્રિપક્ષીય કરાર કરી નિલેશને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની વિગતો બહાર આવી હતી.

 આ કેસમાં પોલીસ દ્વારા હજી નહીં પકડાયેલા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ તથા સાક્ષીઓના પણ મેજિસ્ટ્રેટ રૃબરૃ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News