પત્નીના આપઘાત પછી પતિએ પણ જીવન ટૂંકાવી દીધું

પત્નીએ ગૃહ કલેશથી કંટાળીને અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો હતો

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
પત્નીના આપઘાત પછી  પતિએ પણ જીવન ટૂંકાવી દીધું 1 - image

વડોદરા,પત્નીએ અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવી દીધા  પછી શોકમાં રહેતા પતિએ કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખિસકોલી સર્કલ પાસે સર્વોદય વુડાના મકાનમાં રહેતો ૩૫ વર્ષનો સુનિલ નટુભાઇ રાઠોડિયા કડિયા કામ કરતો હતો. છ મહિના પહેલા તેની પત્નીએ ગૃહ કલેશથી કંટાળીને અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. પત્નીને બચાવવા જતા તે પણ દાઝી ગયો હતો. જેની સારવાર ચાલુ હોઇ ભાઇના ઘરે રહેતો હતો. ગઇકાલે તેના ભાભી નાના છોકરાઓને ટયુશન મૂકવા ગયા હતા. અડધા કલાકમાં તેઓ ઘરે પરત આવ્યા ત્યારે સુનિલે ચાદર વડે પંખા પર લટકીને જીવન ટૂંકાવી દીધું હતું.  પત્નીના મોત પછી તેણે પણ આપઘાત કરી લીધો હતો.


Google NewsGoogle News