બહેનપણીના આપઘાત પછી કિશોરીએ પણ ફાંસો ખાઇ લીધો

આમાં કોઇનો દોષ નથી, મારી મરજીથી કરી રહી છું : અંતિમ ચિઠ્ઠી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
બહેનપણીના આપઘાત પછી  કિશોરીએ પણ ફાંસો ખાઇ લીધો 1 - image

વડોદરા,બહેનપણીએ આપઘાત કર્યા  પછી કિશોરીએ પણ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ વિસ્તારમાં  રહેતી ૧૬ વર્ષની કિશોરી ધો.૧૧ માં અભ્યાસ કરતી હતી. ગઇકાલે તેના પરિવારજનો સીમંત પ્રસંગે ગયા હતા. રાતે તેઓ  પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. દરવાજો  ખખડાવવા છતાંય પુત્રીએ દરવાજો નહીં ખોલતા દરવાજો તોડી નાંખ્યો હતો. અંદર જોયું તો પુત્રીએ ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા હે.કો.મુકેશભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. કિશોરીએ લખેલી ત્રણ લાઇનની ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આ હું મારી મરજીથી કરી રહી છું. કોઇનો  દોષ નથી. મારા ભગવાન કૃષ્ણની કસમ.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, ૧૫ દિવસ પહેલા તેની સાથે ભણતી બહેનપણીએ આપઘાત કર્યો હતો. તેના કારણે તેણે પણ આપઘાત કર્યો હોવાની શક્યતા  પોલીસ સેવી રહી છે.


Google NewsGoogle News