Get The App

22 દિવસ બાદ આખરે ગાંધીનગર આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક ચાલુ થયો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
22  દિવસ બાદ આખરે ગાંધીનગર આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક ચાલુ થયો 1 - image


ટેકનીકલ ખામી દૂર કરીકરી નવા સેન્સર ફીટ કરી દેતા

રોજના સરેરાશ ૮૦ ફોર વ્હિલરના ગણીને ૧,૨૦૦ જેટલા વાહનચાલકોના ટેસ્ટ લેવાયા નહીંઃહજુ ત્રણ દિવસનું વેઇટીંગ

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓ કોંભાડોને કારણે ચર્ચામાં છે ત્યારે અહીં ટેકનીકલ ખામી સર્જાવાને કારણે છેલ્લા લગભગ ૨૨ દિવસથી ટેસ્ટીંગ ટ્રેકમાં ફોર વ્હિલરના ટેસ્ટ લેવાતા ન હતા. આ ખામી દૂર કર્યા બાદ નવા સેન્સર લગાવવામાં આવ્યા છે. આજે ટ્રાયલ સક્સેસ જતા હવે કાલથી ફોર વ્હિલર માટે ફરીથી ટેસ્ટીંગ ટ્રેક ખુલ્લો મુકાશે.૧૫ જેટલા વર્કિંગ ડે દરમ્યાન ટ્રેક બંધ રહેવાને કારણે રોજના ૮૦ જેટલા સરેરાશ ટેસ્ટની ગણતરી પ્રમાણ ૧૨૦૦ જેટલા વાહનચાલકો ટેસ્ટ આપી શક્યા નથી.

આરટીઓમાં બારોબાર લાયસન્સ આપી દેવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આ કૌભાંડની તપાસ માટે ટ્રેકની મુખ્ય કોમ્પ્યુટર સિસ્ટમ પોલીસ દ્વારા લઇ જવામાં આવતા આરટીઓમાં ત્રણથી ચાર દિવસ ટ્રેક બંધ રહ્યો હતો અને કોઇ ટેસ્ટ લેવાયા ન હતા. ત્યાર બાદ ફરી ટ્રેક ચાલુ થયો હતો પરંતુ ગત તા.૪ સપ્ટેમ્બરને સમોવારના રોજ ટ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાઇ હતી જેના કારણે આ ટ્રેક બંધ થઇ ગયો હતો. પાસ થનારા વાહનચાલકોને પણ ફેઇલ બતાવવામાં આવતા હતા આ ગંભીર ખામીને દૂર કરવા માટે ઉચ્ચકક્ષા સુધી દરખાસ્તો કરવામાં આવી હતી. આ સાથે ટ્રેકમાં નવા સેન્સર  પણ લગાવવામાં આવનાર હતા. જેમાં ઘણો બધો સમય લાગે તેમ હતો. જેના કારણે સપ્ટેમ્બર મહિનના ત્રણ અઠવાડિયાથી વધુ આ ટ્રેક ફોર વ્હિલરના અરજદારો માટે બંધ રાખવામાં આવવ્ય હતો.

 ટેકનીકલ ખામી દૂર કરવા ઉપરાંત નવા સેન્સર ફીટ કરવાની સાથે ૨૨ દિવસ બંધ રહેલા ટ્રેકમાં આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું જે સક્સેસ ગયો છે. આ અંગે ગાંધીનગર એઆરટીઓ એ.એ.પઠાણે જણાવ્યું હતું કે, આવતીકાલથી રાબેતા મુજબ ફોર વ્હિલરના વાહનચાલકોનો પણ ટેસ્ટ લઇ શકાશે. જેના માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પણ ખુલી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ૨૨ દિવસ ટ્રેક બંધ રહ્યો હતો જેમાંથી ૧૫ દિવસ વર્કિંગ ડે હતા જેમાં રોજના ૮૦ જેટલા સરેરાશ પ્રમાણે ૧,૨૦૦ જેટલા ફોર વ્હિલરના ચાલકોનો ટેસ્ટ લઇ શકાયો નથી તેમ કહી શકાય.


Google NewsGoogle News