ઇન્દ્રાડ ગામ પાણીની ટાંકી પાસે યુવકનો ફાંસો ખાઇને આપઘાત

નેપાળથી એક મહિના પહેલા કામ માટે વડોદરા આવેલા યુવકે જીવન ટૂંકાવ્યું

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News

 ઇન્દ્રાડ ગામ પાણીની ટાંકી પાસે યુવકનો ફાંસો ખાઇને આપઘાત 1 - imageવડોદરા,સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામ અને શહેરના સવાદ ક્વાટર્સ વિસ્તારમાં રહેતા બે યુવકોએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામે પાણીની ટાંકી પાસે રહેતા ૨૧ વર્ષના પ્રદિપ રાયસીંગભાઇ મુનિયાએ ગઇકાલે સવારે સાડા સાત વાગ્યે ઇન્દ્રાડ ગામની પાણીની ટાંકી પાસે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેને સૌ પ્રથમ ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે મંજુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં સવાદ ક્વાટર્સ જલારામ નગરમાં રહેતો મનોજ ટનકસીંગ વિશ્વકર્મા મૂળ નેપાળનો વતની છે. એક મહિના પહેલા જ તે વતનથી વડોદરા કામ માટે આવ્યો હતો. એક રેસ્ટોરન્ટમાં તે કામ કરતો હતો. ગઇકાલે તેના ભાઇ કામ માટે બહાર ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે મનોજે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે વારસિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આપઘાતનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.


Google NewsGoogle News