સોમા તળાવ વિસ્તારમાં રહેતા યુવાનનો ફાંસો ખાઇને આપઘાત

પ્રતાપ નગરના યુવાને ચાદર વડે પંખા પર લટકી જઇ જીવન ટૂંકાવ્યું

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
સોમા તળાવ વિસ્તારમાં રહેતા યુવાનનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,સોમા તળાવ અને પ્રતાપ નગર વિસ્તારમાં રહેતા બે યુવાનોએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સોમા તળાવ એમ.એમ.વોરાના શો રૃમ નજીક રત્નદિપ ગ્રીનમાં રહેતો કૃણાલ જીતેન્દ્રભાઇ સુથાર ગઇકાલે સાંજે ૭  વાગ્યે ઘરે ગળા ફાંસો ખાઇને જીવન  ટૂંકાવી દીધું હતું. જે અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, કૃણાલે થોડા સમય પહેલા જ ભાગીદારીમાં ક્રેઇન લીધી હતી. તેને ક્રેડિટ કાર્ડનું દેવું વધી  ગયું હતું. પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રતાપ નગર હજીરા સામે ગોકુલ નગર સિન્ધી સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષના વૈભવ દિનેશભાઇ ભોજવાણી હાલમાં વલસાડ  ર હેતો હતો. રક્ષાબંધનના દિવસે તે ઘરે આવ્યો હતો. દરમિયાન ગઇકાલે મોડીરાતે ચાદર વડે પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગ મકરપુરા પોલીસે વધુ  તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News