વાઘોડિયા રોડના યુવાને દુકાનમાં ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

Updated: May 19th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડના યુવાને દુકાનમાં ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું 1 - image


Image: Freepik

Vadodara: વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલી દુકાનમાં ગળા ફાંસો ખાઇને યુવાને આપઘાત કરી લેતા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા  પાસે તૃપ બંગ્લોઝમાં રહેતાા ૩૨ વર્ષનો મોહનિશ મુકુંદભાઇ પંડયા કન્સટ્રક્શનનું કામ કરતો હતો. પરંતુ, હાલમાં તે કોઇ કામ કરતો નહતો. તેના પિતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. તેમણે પુત્ર મોહનિશને દુકાન શરૃ કરવાનું કહ્યું હતું. મોહનિશે કલા દર્શન ચાર  રસ્તા  પાસે રાધે ગોવિંદ નામની દુકાન શરૃ કરવાનું નક્કી કર્યુ હતું. તે દુકાનમાં સમારકામ ચાલતું હતું. આજે બપોરે મોહનિશ ઘરેથી મોપેડ લઇને દુકાને ગયો હતો. તે દરમિયાન તેનો મિત્ર દુકાન પાસેથી પસાર થતો હતો. તેણે મોહનિશનું મોપેડ જોતા તે દુકાનમાં અંદર જતા મોહનિશની લાશ લટકતી હતી. જે અંગે મોહનિશના પરિવારને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસને જાણ  કરવામાં આવતા  પોલીસે સ્થળ પર જઇન તપાસ  હાથ ધરી છે. જોકે, આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.


Google NewsGoogle News