કારેલીબાગના ૨૯ વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત
ડાબા હાથે દુખાવો થતા હોસ્પિટલ લઇ જવાયો પણ ડોક્ટરની સામે ઢળી પડયો
વડોદરા,છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને સ્કૂલ વર્ધીની વાન ચલાવતા યુવાનનું મોત થતા પરિવારમાં શોક ફેલાઇ ગયો હતો.
કારેલીબાગ વિસ્તારની અશોક વાટિકા સોસાયટીમાં રહેતો ૨૯ વર્ષનો કરણ રાજેન્દ્રભાઇ પવાર યુવાન સ્કૂલ વર્ધીની વાન ચલાવતો હતો. માતા,પિતા અને ભાઇ સાથે રહેતો કરણ ગઇકાલે રાતે દશ વાગ્યે ઘરે આવ્યો હતો. ત્યારબાદ અચાનક તેને ડાબા હાથમાં દુખાવો શરૃ થયો હતો. તેણે મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો. કરણને લઇને તે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ડોક્ટરે તેની સારવાર શરૃ કરી હતી. પરંતુ, ટેબલ પર જ કરણ ઢળી પડયો હતો. કરણના મિત્રે જણાવ્યું હતું કે, પ્રાથમિક તારણ મુજબ કરણનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.