ગણેશ વિસર્જન માટે તળાવમાં તારાપો લેવા જતા યુવક ડૂબ્યો

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ગણેશ વિસર્જન માટે તળાવમાં તારાપો લેવા જતા યુવક ડૂબ્યો 1 - image

image : Pixabay

વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર 

વડોદરામાં શ્રીજી વિસર્જન પહેલા તળાવમાં ડૂબવાના બનાવો બની રહ્યા હોવાથી ફાયર બ્રિગેડની ટીમો તળાવ પર મૂકવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે. ગઈકાલે તરસાલીના તળાવમાં એક યુવક ડૂબ્યા બાદ આજે ભાયલીના તળાવમાં પણ એક યુવક ડૂબ્યો હોવાનો બનાવ બન્યો છે.

ભાયલી ખાતે આવેલા તળાવમાં આજે સવારે સતીશ વસાવા નામનો 28 વર્ષનો યુવક ગણેશ વિસર્જન માટે સામે કિનારે થી તરાપો લેવા માટે તળાવમાં ઉતર્યો હતો.

આ દરમિયાન તેનો હાથ છટકી જતા તે પાણીમાં ઉતરી પડ્યો હતો. તેની સાથેના યુવકે અન્ય યુવકોને જાણ કરતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. એક કલાકથી ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ગઈકાલે તરસાલીના તળાવમાં આવી જ રીતે સંજય વાદી નામનો યુવક શ્રીજી વિસર્જનના નાળિયેર લેવા માટે જતા ડૂબી ગયો હતો.


Google NewsGoogle News