નવમા માળેથી છલાંગ લગાવી મહિલાએ આપઘાત કર્યો

ગેલેરીમાં બાંધેલી કબૂતરની જાળી ચપ્પુથી કાપી નાંખી કૂદકો માર્યો

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News

 નવમા માળેથી છલાંગ લગાવી મહિલાએ આપઘાત કર્યો 1 - imageવડોદરા,છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી ૫૦ વર્ષની મહિલાએ નવમા માળેથી નીચે છલાંગ લગાવી મોતને વહાલું કર્યુ હતું. જે અંગે ફતેગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છાણી ટી.પી.૧૩ વિસ્તારમાં વેદા એપાર્ટમેન્ટમાં રહેતા  સુરેશભાઇ ભોરણીયા કારેલીબાગમાં માઇક્રો ફિલ્ટરનો ધંધો કરે છે. તેમના પત્ની ભાવનાબેન (ઉ.વ.૫૦) આજે સાંજે ઘરે એકલા હતા. તે દરમિયાન તેમને ઘરે નવમા માળે ગેલેરીમાંથી ચપ્પુ વડે કબૂતર માટે બાંધેલી જાળી કાપી નાંખી હતી. ત્યારબાદ તેઓએ નીચે છલાંગ લગાવી મોતને વહાલું કર્યુ હતું.  જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભાવનાબેન તેમની દીકરીના લગ્ન થયા પછી ઘરે એકલતા અનુભવતા  હતા. તેના કારણે ડિપ્રેશનમાં આવીને તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.


Google NewsGoogle News