શિનોરમાં વિધવાની લાશ નગ્ન હાલતમાં ઝાડ પર લટકતી મળતા ચકચાર

મંદિરમાં સેવા પૂજા કરતી મહિલા પર બળાત્કાર ગુજારી હત્યા કરવામાં આવી હોવાની શંકા

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
શિનોરમાં વિધવાની લાશ નગ્ન હાલતમાં  ઝાડ પર લટકતી મળતા ચકચાર 1 - image

શિનોર,શિનોરમાં નર્મદા કિનારે આવેલ કૃષ્ણેશ્વર મંદિર નજીક નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતી ૫૦ વર્ષની મહિલા રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ  હતી. ગૂમ થયાના  પાંચ દિવસ  પછી મહિલાની લાશ મંદિર  પાછળની ઝાડીઓમાંથી ઝાડ પર નગ્ન હાલતમાં લટકતી મળી આવી હતી. મહિલા પર દુષ્કર્મ ગુજાર્યા  પછી તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ અંગે શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

      શિનોર નર્મદા કિનારે એક મંદિર નજીક  છેલ્લા ઘણા સમયથી  ૫૦ વર્ષની મહિલા  પતિના અવસાન પછી એકલા જ રહેતા હતા.  ગત તા ૩૧/૮/૨૪ ના રોજ રાત્રે તેમની  દીકરીએ માતાને ફોન કરતા  ફોન સ્વીચ ઓફ આવતો હતો.  શિનોર માછીવાડ વિસ્તારમાં રેહતી તેની માતાની બહેનપણીને તપાસ કરવા કહ્યું હતું. મહિલાની બહેનપણીએ જણાવ્યું હતું કે, તારી  માતા ગઈ કાલે સાંજે મારી ઘરે આવી હતી. અને સાંજે ૬ વાગ્યે તે કૃષ્ણેશ્વર મંદિરે ગઈ હતી.  ફળિયામાં રેહતા અંબુભાઈ અને ફળીયાના માણસોને ત્યાં તપાસ કરવા મોકલતા મંદિરના  દરવાજા અને તેમનો રૃમ ખુલ્લો હતો.  નીચે ગાદલુ પથારેલું હતું. તેમજ મોબાઇલમાંથી બેટરી બહાર કાઢી નાંખી હતી.  પરંતુ, ૫૦ વર્ષની મહિલાનો કોઇ પત્તો લાગ્યો નહતો.  જેના પગલે મહિલાની બંને દીકરીઓએ  શિનોર દોડી આવી  પોલીસને જાણ કરી હતી. પોલીસે  સ્થળ પર આવી ફોટા પાડી તમે તપાસ કરો પછી દાખલ કરીશું તેવું કહી જતી રહીહતી.  દીકરીઓ દ્વારા તપાસ કરવા છતાંય માતાની કોઈ ખબર નહીં મળતા  ફરી શિનોર પોલીસને જાણ કરી હતી. ત્રણ દિવસ પછી તા.૩/૯/૨૪ ના રોજ શિનોર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી.  દીકરીઓએ જાતે  માતાની શોધખોળ હાથ ધરી હતી. માતા જ્યાં રહેતી હતી તેની પાછળની જગ્યા પર પગલાના નિશાન દેખાતા તે દિશામાં તપાસ કરતા ઝાડીઓ માંથી દુર્ગંધ આવતા ઝાડીઓ મા જઈ તપાસ કરી હતી. ઝાડીઓમાં ઝાડ પર  નગ્ન અવસ્થા માતાની લાશ લટકતી મળતા  શિનોર પોલીસને જાણ કરી હતી. શિનોર પોલીસ ઘટના સ્થળે આવી કાયદેસર ની કાર્યવાહી કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે.  આધેડ મહિલા પર  બાળત્કાર ગુજાર્યા પછી તેની હત્યાં થઇ હોવાની ચર્ચા શિનોર પંથકમાં થઇ રહી છે. 

શિનોર પોલીસે શરૃઆતથી જ ડોગ સ્કવોડની મદદ લઇને તપાસ કરવામાં આવી હોત તો મહિલાની લાશ કહોવાઇ ગયેલી  હાલતમાં મળત નહીં.  બંને દીકરીઓની માંગણી છે કે, જધન્ય કૃત્ય કરનારાઓને શોધી સખત સજા થાય.


Google NewsGoogle News