ધો.૧ થી ૧૨નું શિક્ષણ પૂર્ણ ન કરનાર બાળકોનો સર્વે હાથ ધરાશે

તા.૧ થી ૮ નવેમ્બર સુધી ૬ થી ૧૯ વર્ષ સુધીના શાળા બહારના બાળકોને સર્વેમાં આવરી લેવાશે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ધો.૧ થી ૧૨નું શિક્ષણ પૂર્ણ ન કરનાર બાળકોનો સર્વે હાથ ધરાશે 1 - image

વડોદરા,વડોદરા જિલ્લામાં ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ ન કરનાર સાળા બહારના ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકોની સર્વે કામગીરી હાથ ધરાશે.

સમગ્ર શિક્ષા વડોદરા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે કે, સાઈટ ટુ એજ્યુકેશન, એક્ટ ૨૦૦૯ની જોગવાઈ મુજબ ૬ થી ૧૯ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જેથી જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલ ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સંપર્ક કરી મદદરૃપ બનવા કહ્યું છે.

વડોદરા જિલ્લા સહિત છેવાડાના વિસ્તારોમાં બાળક અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હોય છે, તેવા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ કરે તે જરૃરી છે. આવા બાળકોની સર્વે અંગેની કામગીરી તા.૧ થી તા.૮ નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ કામગીરી નિર્ધારિત સમયગાળામાં સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા અન્ય વિભાગના સહયોગથી કરવાની હોય છે. સર્વે કામગીરી કરતા સમયે મળેલી બાળકોની માહિતી જે તે તાલુકાના સીઆરસી/ બી.આર.સી. ભવન ખાતે આપવાની રહે છે.તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ કે જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેક્ટરી વિસ્તાર, વર્ક સાઈટ કે જ્યાં રખડતા, ભટકતા, ચાની કિટલી પર કામ કરતા બાળકો જોવા મળે તો આ બાળકોને નજીકની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાણ કરી બાળકોનાં શિક્ષણમાં સહભાગી બનવા કહ્યું છે.

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ ઘર બેઠા ધો.૯ થી ૧૨નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત સરકાર સંચાલિત આ સ્કુલમાં કદી શાળાએ ન ગયેલા હોઈ તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધા હોય તેવા તમામ જોડાઈ શકશે. આ માટે નજીકની કોઈ પણ માધ્યમિક શાળામાં રજીસ્ટ્રેશન નિઃશુલ્ક કરાવી શકે છે.


Google NewsGoogle News