સગીર પ્રેમીપંખીડાનો ઘેરથી ભાગી જઇ નર્મદા કેનાલમાં મોતનો ભૂસકો

શનિવારે રાત્રે ઘેરથી ભાગ્યા બાદ શોધખોળ કરાઇ હતી ઃ રામેશરા પાસેની કેનાલમાં બંનેની લાશ વિકૃત હાલતમાં મળી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
સગીર પ્રેમીપંખીડાનો ઘેરથી ભાગી જઇ નર્મદા કેનાલમાં મોતનો ભૂસકો 1 - image

હાલોલ તા.૧૯ હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાંથી સગીર વયના પ્રેમી પંખીડાના મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક અંતરિયાળ ગામના વતની પ્રેમીઓ શનિવારે ઘેરથી નીકળી ગયા બાદ બંનેએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક અંતરિયાળ ગામે રહેતા સગીર વયનો કિશોર અને સગીર વયની બાળા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એક જ ગામમાં રહેતા અને એક જ જ્ઞાાતિના પ્રેમી પંખીડા કોઈ કારણોસર તા.૧૬ની રાત્રે પોતાના ઘરેથી ભાગી ગયા હતાં.

સવારે બંનેના ઘેર ખબર પડતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે ૧૧ વાગે બંને પ્રેમીપંખીડાના મૃતદેહ હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં તરતા જોવા મળ્યા હતાં. બંનેની લાશ ફૂલીને વિકૃત હાલતમાં હતી. બનાવની જાણ હાલોલ રુરલ પોલીસને થતાં પોલીસ ધટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરતાં બંનેની ઓળખ થઇ હતી.




Google NewsGoogle News