વડોદરા તાલુકાના વિરોદ ગામે આધેડને ઝેરી જાનવર કરડી જતા મોત
વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
વડોદરા તાલુકાના વિરોદ ગામે આધેડને ઝેરી જાનવર કરડી જતા મોત નીપજયું હતું.
મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના વિરોદ ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતા 58 વર્ષના રાવજી જાદવ ગત બપોરે 12:30 વાગ્યે પોતાના ઘરના વાડામાં ભેંસોને ઘાસ નાખતા હતા તે સમયે જમણા હાથની કેટલી આંગળી પર ઝેરી જાનવર કરડી ગયું હતું તેથી રાવજીભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.
મંજુસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.