વડોદરાના ગોત્રી વિસ્તારના એક મકાનમાં ભીષણ આગ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
વડોદરાના ગોત્રી વિસ્તારના એક મકાનમાં ભીષણ આગ 1 - image

image : Freepik

વડોદરા,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર

વડોદરાના ગોત્રી જલારામ મંદિર પાછળ આવેલ 10 ચંદ્રમોલેશ્વર નગરના ઘરમાં આગ લાગી હતી. ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘરમાં આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવને પગલે લોકટોળા અહી એકત્રિત થયા હતા. વડીવાડી ફાયર બ્રિગેની ટીમને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાં આગ લાગવાના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થાય ન હતી.


Google NewsGoogle News