જમવા બાબતે તકરાર થતા પત્નીને મારતો પતિ

પોલીસ હુમલાખોર પતિને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
જમવા બાબતે તકરાર થતા પત્નીને મારતો પતિ 1 - image

વડોદરા,જમવા બાબતે તકરાર થતા પત્નીને માર મારનાર પતિ સામે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માંજલપુર અલવા નાકા પાસે શંકર પાર્ક સોસાયટીમાં રહેતા  હેતલબેન રોહિત  ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન  અપાવવાનું કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મને કાનની તકલીફ હોવાથી ગઇકાલે સાંજે કાનમાં ટીપા નાંખીને ઘરે સૂતી હતી. રાજે સાડા આઠ વાગ્યે મારા પતિ બળવંતભાઇ નોનવેજ લઇને ઘરે આવ્યા હતા. જેથી, મેં તેઓને કહ્યું કે, હું અને બાળકો નોનવેજ ખાતા નથી તો પણ આટલું બધું નોનવેજ કેમ લાવ્યા ? મારી વાત સાંભળીને તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. અને મને માર માર્યો હતો. મેં કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસની ગાડી આવી હતી. અને મારા પતિને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.


Google NewsGoogle News