Get The App

વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક શેડ તૂટીને પડતા એક બાળકીનું મોત

દાહોદના શ્રમજીવીઓ રેલવે કામની મજૂરી માટે આવ્યા હતા : 8 ને ઇજા

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક શેડ તૂટીને પડતા એક બાળકીનું મોત 1 - image


Vadodara News | વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીને  પડતા પાંચ  બાળકો સહિત નવ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. રેલવે ટ્રેકના રિપેરિંગ સહિતના કામની મજૂરી માટે વડોદરા આવેલા દાહોદના શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. આજે સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને  પડતા બાળકો સહિત 9 શ્રમજીવીઓને ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેઓની હાલત સુધારા પર છે.  ઇજાગ્રસ્તોમાં (૧) વિજયભાઇ રામસિંહ પરમાર (૨)વિપુલ ઇશ્વરભાઇ (૩) હંસાબેન વિજયભાઇ પરમાર (૪) કલ્પેશ ગોવિંદભાઇ માલીવાડ તથા પાંચ  બાળકોને ઇજા  પહોંચી હતી. આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યાંના અહેવાલ છે. 


Google NewsGoogle News