ચોખંડીમાં કોર્પોરેશનના સફાઇ કામદારનો ફાંસો ખાઇને આપઘાત

૭ વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હતા

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News

 ચોખંડીમાં કોર્પોરેશનના  સફાઇ કામદારનો ફાંસો ખાઇને આપઘાત 1 - imageવડોદરા,ચોખંડી વિસ્તારમાં રહેતા સફાઇ કામદારે અગમ્ય કારણોસર ઘરે અગાશી પર કેબિનમાં પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

ચોખંડી ગોયા દરવાજા હરિજન વાસમાં રહેતા ૫૧ વર્ષના વિનોદભાઇ વેણીલાલ સોલંકીએ આજે ઘરે અગાશી પર કેબિનમાં પંખા પર વાયર બાંધીને ફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વાડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મરનાર વિનોદભાઇ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટમાં સફાઇ કામદાર તરીકે કામ કરતા હતા. ૭ વર્ષ પહેલા પત્ની સાથે મતભેદ થતા તેઓએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ પત્ની પિયરમાં નાના સંતાન સાથે રહેતી હતી. જ્યારે અન્ય બે સંતાનો વિનોદભાઇ સાથે રહેતા હતા. આજે સવારે વિનોદભાઇના માતા અને પુત્ર અગાશી પર ગયા ત્યારે તેઓને બનાવની જાણ થઇ હતી. આપઘાતના કારણ અંગે વાડી  પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News