૪૩ વર્ષની ગૃહિણીને હાર્ટ એટેક આવતા મોત થયું

વાઘોડિયા રોડ પરથી બેભાન મળેલા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
૪૩ વર્ષની ગૃહિણીને હાર્ટ એટેક આવતા મોત થયું 1 - image

વડોદરા,વાસણા ભાયલી  રોડ પર રહેતી ૪૩ વર્ષની મહિલાને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જ્યારે વાઘોડિયા રોડ પર બેભાન  હાલતમાં મળી આવેલા ૪૮ વર્ષના પ્રૌઢનું પણ મોત થયું છે.

વાસણા ભાયલી રોડ પર ધ ઓકવુડમાં રહેતા જીજ્ઞાાબેન ગૌરાંગભાઇ શાહ ( ઉં.વ.૪૩) ને આજે બપોરે અચાનક છાતીમાં દુખાવો થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.

 જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ બાપોદ રંગ વાટિકાની પાછળ સોનપુરા વુડાના મકાન પાસેથી ૪૮ વર્ષનો એક અજાણ્યો બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ, તેનું મોત નિપજ્યું હતું. તેનું નામ રાજેશ પંચાલ હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News