નવાપુરામાં મકાન ધરાશાયી થતા ૧૨ વર્ષના કિશોરનું મોત

પરિવારના ત્રણ સભ્યોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
નવાપુરામાં મકાન ધરાશાયી થતા ૧૨ વર્ષના કિશોરનું મોત 1 - image

વડોદરા,નવાપુરા ખાટકીવાડમાં જર્જરિત મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઇ ગયેલા ૧૨ વર્ષના કિશોરનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 

શનિવારે રાતે નવાપુરા ખાટકીવાડમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક પરિવાર ફસાયો હતો. પરિવારના  સભ્યો કાટમાળ નીચે દબાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તેઓને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જેમાં શબનમબાનુ વલીભાઇ કુરેશી ( ઉં.વ.૪૫), ૧૨ વર્ષના કિશોર અને ૧૭ વર્ષના કિશોરનો સમાવેશ થાય છે.  સારવાર દરમિયાન ૧૨ વર્ષના કિશોરનું મોત થયું હતું. બનાવ અંગે નવાપુરા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News