ઉપરવાસથી આવક ખટતા નર્મદા ડેમના ૫ ગેટ બંધ કર્યા
હાલ ૧૦ ગેટ હજી ખુલ્લા છે : નદીમાં ૧,૯૨,૫૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
રાજપીપળા,ઉપરવાસમાંથી આવકમાં ઘટાડો થતા હવે નર્મદા ડેમના ૫ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ ૧૦ દરવાજા ખુલ્લા છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૩૩ મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક ૨,૪૧,૫૭૩ ક્યુસેક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી ૧,૯૨,૫૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
જો કે હાલ ડેમમાંથી થતી આવક કરતા જાવકમાં ઘટાડો છે. ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ ઔમીટર છે.