વડોદરામાં વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબવાનો ત્રીજો બનાવ, દંતેશ્વરમાં ફાયર બ્રિગેડની મદદ લીધી
image : Pixabay
વડોદરા,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર
વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાના બનાવો બની રહ્યા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા તમામ તળાવ ઉપર ટીમો મુકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક સપ્તાહમાં ડૂબવાનો ત્રીજો એક બનાવ બનતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
ગણેશ વિસર્જનના દિવસો દરમિયાન નદી, કેનાલ અને તળાવમાં ડૂબવાના અવારનવાર બનાવ બનતા હોય છે ત્યારે વડોદરામાં તરસાલી વિસ્તારમાં શ્રીજી વિસર્જન વખતે નાળિયેર લેવા ગયેલા સંજય વાદી નામના એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ બનાવ બાદ ભાયલીના તળાવમાં પણ તરાપો લેવા ગયેલા વસાવા નામના એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનો બનાવ બન્યો હતો.
દરમિયાનમાં આજે સવારે દંતેશ્વર તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.