VIDEO : વડોદરા હોનારતમાં 5 સામે ફરિયાદ, મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ ઘટનાસ્થળે પહોંચી તાગ મેળવ્યો, રૂ. 6 લાખ વળતર આપવાની જાહેરાત

માંડ 10-12 લોકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 25 લોકોને બેસાડ્યા હોવાનો પણ આરોપ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
VIDEO : વડોદરા હોનારતમાં 5 સામે ફરિયાદ, મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ ઘટનાસ્થળે પહોંચી તાગ મેળવ્યો, રૂ. 6 લાખ વળતર આપવાની જાહેરાત 1 - image


વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 13 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 15 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવાના રવાના છે.

Vadodara Boat Accident LIVE Update

ઘટનામાં બેની ધરપકડ, કોન્ટ્રાક્ટર હજી ફરાર

ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે બે શખ્સોની અટકાયત કરી છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી ફરાર છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ જે બે શખ્સોની અટકાયત કરી છે તેની પુછપરછ ચાલું છે.

વડોદરાની બોટ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારનો મોટો આદેશ, ઉચ્ચકક્ષાએ થશે તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

માસૂમોના મોત માટે જવાબદાર કોણ? 12ની ક્ષમતા સામે 27ને હોડીમાં બેસાડ્યા, સેવઉસળની લારીવાળો ચલાવતો હતો, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં જવાબ આપવા આદેશ

વડોદરા હોનારતમાં રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાના આદેશ આપ્યા છે.  ઘટનામાં સ્થાનિક તંત્ર, ઈજારદાર કે અન્ય કોઈની બેદરકારીની પણ તપાસ કરાશે. ગૃહ વિભાગે વડોદરાના જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટના અંગે વિગતવાર તપાસ કરી 10 દિવસમાં અહેવાલ સરકારને સુપર કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

VIDEO : 'બોટ પલટી અને બધા નીચે ચાલ્યા ગયા, પછી મેં...', વડોદરા બોટ દુર્ઘટનામાં બચેલા બાળકે જુઓ શું કહ્યું... વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા બોટ દુર્ઘટના : છેલ્લી ઘડીએ મે મારી દિકરીને પિકનીક જવા મંજૂરી આપી અને... વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

5 સામે ફરિયાદ

પ્રાપ્ત વિગતો મુજબ હરણી પોલીસ સ્ટેશનમાં વડોદરા હોનારત મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ સામેલ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ફરિયાદ નોધાઈ છે. પોલીસે 304, 337, 308 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, રાજ્ય સરકાર 4 લાખ, કેન્દ્ર 2 લાખ વળતર આપશે, વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

કોંગ્રેસે કહ્યું- 'સદોષ માનવવધનો ગુનો દાખલ કરો', વધુ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા

વડોદરા હોનારત પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટનાનો તાગ મેળવવા ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ જાનવી હોસ્પિટલમાં, ગૃહમંત્રીએ સયાજી હોસ્પિટલમાં પહોંચી પીડિત પરિવારોને મળ્યા હતા.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકના પરિવારને રૂ. બે લાખના વળતરની જાહેરાત 

વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે. 

મૃતકોના પરિવારો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું રૂ. ચાર લાખનું વળતર

વડોદરામાં હોડી ડૂબવાની ઘટનાનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ ત્યાં જવાના રવાના થયા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખના વળતરની પણ જાહેરાત કરી છે. 

વડોદરાના તળાવમાં ડૂબી ગયેલા મૃતકોના નામ

હોડી સેવઉસળની લારીવાળો ચલાવતો હતો

હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે હોવાની વિગતો સામે આવી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડૂબી જવાની ઘટનામાં સેવઉસળની લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે.

છ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક હજુ લાપતા

હાલ ઘટનાસ્થળે પૂરજોશમાં રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ છ બાળકો અને એક શિક્ષક હજુ લાપતા હોવાની આશંકા સેવાઈ છે.

મૃતક વિદ્યાર્થીઓના નામ

મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા અને નેન્સી માછી તરીકે થઈ છે. જ્યારે મૃતક શિક્ષિકાઓની ઓળખ છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી તરીકે થઈ છે.

વડોદરાની દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

હરણી તળાવની દુર્ઘટના વિશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત દુઃખદ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.’ તો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ પણ જણાવ્યું છે કે ‘આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે.’ 


82 વિદ્યાર્થી હરણી તળાવ ફરવા આવ્યા હતા 

મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થી હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું 

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X' પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’

ક્ષમતા કરતા વધુ લોકોને હોડીમાં બેસાડ્યા

આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’ 

જવાબદારો સામે પગલાં ભરાશે

આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ‘હોડી પલટી ગયાની જાણકારી મેળવાઈ રહી છે. આ બનાવ કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ તપાસ પછી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે.’


Google NewsGoogle News