૧૭ વર્ષની કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડયા પછી મોત

મોતનું કારણ જાણવા માટે વિશેરા એફ.એસ.એલ.માં મોકલી અપાયા

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
૧૭ વર્ષની કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડયા પછી મોત 1 - image

વડોદરા,તુલસીવાડી વિસ્તારમાં રહેતી ધો.૧૨ ની વિદ્યાર્થિનીને અચાનક પેટમાં દુખાવો ઉપડયા પછી ચક્કર આવતા ઘરમાં જ ઢળી પડી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તુલસીવાડી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી ગઇકાલે માતા - પિતા સાથે ઘરમાં જ હતી. રાતે પોણા નવ વાગ્યે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે માતા - પિતા તેને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે કુંભારવાડા પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. સી.પી. ઝાલાએ તપાસ  હાથ ધરી હતી.  ધો.૧૨ માં ભણતી વિદ્યાર્થિનીના મોતનું સાચું કારણ જાણવા માટે પી.એમ. કરાવ્યું હતું.  પરંતુ, તેનું મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જેથી, ડોક્ટર દ્વારા તેના વિશેરા એફ.એસ.એલ.માં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા  પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.


Google NewsGoogle News