વડોદરામાં દિવાળીમાં આગ લાગવાના 116 બનાવ બન્યા
વડોદરાઃ દિવાળી દરમિયાન વડોદરામાં આગ લાગવાના બનાવો ૧૧૬ બનાવ બન્યા હતા. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરાતાં કોઇ પણ સ્થળે મોટી દુર્ઘટના સર્જાઇ નથી.
દિવાળી વખતે દારૃખાનું ફૂટવાને કારણે મોટાભાગના સ્થળોએ આગના બનાવ બન્યા હતા.જેમાં કોઇ ગંભીર બનાવ બન્યો નથી.પરંતુ કેટલાક બનાવોમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ,ચાર દિવસ દરમિયાન આગ લાગવાના બનેલા બનાવોમાં મોટાભાગના બનાવો કચરામાં આગ લાગવાના હતા.જેને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડા છવાઇ જતાં ફાયર બ્રિગેડને કામગીરી કરવી પડી હતી.
આ દરમિયાન મળેલા ૧૧૬ કોલ્સમાં મકાનો,દુકાન,ટેરેસ તેમજ કોઠી કચેરી ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ ભવનમાં આગના બનાવ બન્યા હતા.