શરીરમાં કફ બનવાનું શું છે મુખ્ય કારણ? જાણો તેનાથી બચવાના કેટલાક ઉપાય

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
શરીરમાં કફ બનવાનું શું છે મુખ્ય કારણ? જાણો તેનાથી બચવાના કેટલાક ઉપાય 1 - image


Image:Freepik

નવી મુંબઇ,તા. 30 જાન્યુઆરી 2024, મંગળવાર 

શિયાળામાં મોટાભાગના લોકો શરદી-ખાંસીથી પરેશાન રહે છે. આ ઋતુમાં શરીરમાં ખૂબ કફ થાય છે. શું તમે જાણો છો શરીરમાં કફ બનવાના કારણો શું છે? શું આ ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે થાય છે? આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને તમારા ડાયટમાં સામેલ કર્યા પછી તમે જલ્દીથી ઉધરસથી છુટકારો મેળવી શકો છો.

શરીરમાં કફ શા માટે બને છે?

લાળ અથવા કફ એક પ્રવાહી અને ચીકણો પદાર્થ છે જે તમારા શ્વસન માર્ગને સાફ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ જો આ કફ વધી જાય તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગળામાં દુખાવો, સતત ઉધરસ, કફને કારણે ઉલ્ટી થવી એ કફ વધવાને કારણે થઈ શકે છે. 

શરીરમાં વધુ પડતા કફને કારણે શ્વસન માર્ગમાં સોજો, એલર્જી, ગળા કે ફેફસામાં બળતરા, ફેફસાંનું કેન્સર, સિસ્ટિક ફાઈબ્રોસિસ, બ્રોન્કાઈક્ટેસિસ જેવી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. ચેપ, એલર્જી, ફેફસામાં ચેપ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા વગેરે જેવા ઘણા કારણોસર ઉધરસ થઈ શકે છે.

પુષ્કળ પાણી પીવો

ડિહાઇડ્રેશનને કારણે કફ વધવા લાગે છે. તેથી બને તેટલું પાણી જાતે પીવો અને તમારા બાળકને પણ પાણી પીવડાવો. જેથી તમે દિવસભર હાઇડ્રેટેડ રહેશો. પાણી પીવાથી કફ છૂટો પડે છે અને સરળતાથી બહાર આવે છે. જો શ્વસન માર્ગમાં કફ જમા થયો હોય તો તે પાણી પીવાથી બહાર આવે છે.

ઘરમાં વધુ પડતા રૂમ હીટરનો ઉપયોગ ન કરો

સૂકી હવાના કારણે શરીરમાં કફ વધવા લાગે છે. ગળાના કફને હ્યુમિડિફાયર અથવા સ્ટીમ શાવર દ્વારા દૂર કરી શકાય છે. જેના કારણે શ્વાસ લેવામાં સરળતા રહે છે. 

મીઠાના પાણીથી ગાર્ગલ કરો

ગળામાં ખરાશ કે કફ હોય તો ગરમ પાણીમાં મીઠું ભેળવીને ગાર્ગલ કરો. તેનાથી ગળામાં સોજો મટી જશે. તેમજ બર્નિંગ સેન્સેશનમાં પણ ઘટાડો થશે. જો ગળામાં સખત દુખાવો થતો હોય તો દિવસમાં 2-3 વખત ગાર્ગલ કરો.


Google NewsGoogle News