ઘરમાં આ વસ્તુઓ રાખવાથી થાય છે આર્થિક લાભ

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News

ઘરમાં આ વસ્તુઓ રાખવાથી થાય છે આર્થિક લાભ 1 - image

નવી મુંબઇ,તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર

ઘણા લોકો સારુ કમાતા હોવા છતાં આર્થિક સ્થિતિ ખરાબ રહે છે. લોકોને મહિનાના અંત સુધીમાં લોકો પાસે પૈસા ટકતા નથી અને બીજા પાસે ઉધાર માંગવાની નોબત આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવાથી સમસ્યાઓ દૂર થાય છે.

મોરપીંછ

ભગવાન કૃષ્ણને મોરના પીંછા ખૂબ જ પ્રિય છે.  મોરપીંછા ઘરે લાવવાથી તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જશે.  નકારાત્મક ઉર્જા દૂર કરવાનો આ ઉપાય છે.  તેને  ઘરમાં લાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આખું વર્ષ તમારી સાથે રહેશે.

તુલસીનો છોડ

નવા વર્ષની શરૂઆત પહેલા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લાવવો.  તુલસી લાવતા પહેલા તેના પર ગંગાજળ ચઢાવો, જેથી તે શુદ્ધ બને.  તુલસીનો છોડ તમને આર્થિક લાભ આપી શકે છે.

કાચબો

ભગવાન વિષ્ણુનો અવતાર નવા વર્ષે કાચબો ઘરે લાવી શકાય છે.  કાચબો ઘરે લાવતા પહેલા એક વાતનું ધ્યાન રાખો કે તે તાંબા કે પિત્તળની ધાતુથી બનેલું હોવું જોઈએ. તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.  તમને આર્થિક લાભ પણ મળી શકે છે.

શંખ

શંખ દેવી લક્ષ્મીના પ્રતીક શંખને ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમજ ઘરનું વાતાવરણ શાંત રહે છે.  ઘરમાં સકારાત્મક પ્રભાવ વધે છે, જેની વ્યાવસાયિક અને અંગત જીવન પર સકારાત્મક અસર પડે છે.  

 


Google NewsGoogle News