ન્હાવાના પાણીમાં આ વસ્તુ નાંખવાથી બદલાય જશે તમારી કિસ્મત

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
ન્હાવાના પાણીમાં આ વસ્તુ નાંખવાથી બદલાય જશે તમારી કિસ્મત 1 - image

Image;FreePik 

નવી મુંબઇ,તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર

દુનિયામાં કોઇ એવુ વ્યક્તિ નહીં હોય જેની પાસે સમસ્યાઓ અને દુખ નહીં હોય, આ પણ જીવનનો એક ભાગ જ છે, જેમાં સુખ પછી દુખ આવ્યા કરે છે. પૈસા, માન -સન્માન મેળવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે, પરંતુ ઘણી વખત તમામ પ્રયત્નો પછી પણ સફળતા પ્રાપ્ત થતી નથી. જો તમે જીવનના દુ:ખ, અવરોધો, મુશ્કેલીઓ અને સમસ્યાઓથી કંટાળી ગયા છો અને રાહત ઈચ્છતા હોવ તો આ ઉપાયો કરીને સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.  

નહાવાના પાણીમાં આ વસ્તુઓ નાંખો

આ મિશ્રિત પાણી વડે સ્નાન કરવાથી કુંડળીના ગ્રહોના દોષ દૂર થાય છે, સમસ્યાઓ દૂર થાય છે, ગ્રહો બળવાન બને છે અને વ્યક્તિના ભાગ્યને જાગૃત પણ કરે છે. માનવજીવનમાં સફળતા, સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે. વ્યક્તિ દરરોજ બમણી પ્રગતિ કરી શકે છે. ગ્રહોના બળને કારણે જીવન આરામથી જીવી શકાય છે. તો ચાલો જાણીએ કે નહાતા પહેલા નહાવાના પાણીમાં કઈ વસ્તુઓ ઉમેરવી જોઈએ...

દેવું અને આર્થિક સંકટ દૂર કરવા 

જો તમે જીવનમાં કોઈ પણ પ્રકારના દેવા અથવા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો શનિવારે પાણીમાં કપૂરના તેલના થોડા ટીપાં નાખો. આ સિવાય ગુલાબજળ, અત્તર અથવા ચંદન પણ ઉમેરી શકાય છે. પૈસા સંબંધિત સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. 

જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા આ વસ્તુ પાણીમાં મિક્સ કરો

આ માટે નહાવાના પાણીમાં કપૂરના તેલના થોડા ટીપાં ઉમેરો. આવું સતત 11 શુક્રવાર સુધી કરો. આમ કરવાથી શુક્ર મજબૂત બનશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

દેશી ઘી તણાવ દૂર કરશે 

જો તમે માનસિક તણાવ કે, શારીરિક બિમારીઓથી પરેશાન છો તો નહાવાના પાણીમાં દેશી ઘી ઉમેરો. તેને પાણીમાં નાખીને નહાવાથી વ્યક્તિને દરેક પ્રકારના રોગોથી રાહત મળે છે. આ ઉપરાંત ત્વચા પણ ચમકદાર બને છે. વ્યક્તિનો થાક, સ્ટ્રેસ ખતમ થતાં જ તેનું મન પ્રસન્ન રહેશે.

વિઘ્નો અને પડતર કામો સર્જાશે 

દરરોજ નહાવાના પાણીમાં કપૂર તેલ અથવા અત્તર ઉમેરવાથી તમારા કોઈપણ કાર્યમાં કોઈ અડચણ કે, અવરોધ નહીં આવે. આ સિવાય મંગળવાર કે, શનિવારે મીઠું પણ ઉમેરી શકાય છે. તેનાથી તમામ પ્રકારના અવરોધો અને નકારાત્મકતા દૂર થશે. બધા કામ આપોઆપ થવા લાગશે.

સૌભાગ્યમાં વધારો કરશે હળદર 

ધંધા અને નોકરીમાં અવરોધો આવતા જ હોય છે. જો કોઈ કામ ન થઈ રહ્યું હોય અથવા કુંડળીમાં ગુરુ નબળી સ્થિતિમાં હોય તો નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખો. તેનાથી તમામ પ્રકારના અવરોધો દૂર થશે અને સૌભાગ્યમાં સુધારો થશે. 


Google NewsGoogle News