સાપ કરડવાથી મોત પર મળશે સરકારી વળતર? જાણો શું છે નિયમ

Updated: Aug 10th, 2023


Google NewsGoogle News
સાપ કરડવાથી મોત પર મળશે સરકારી વળતર? જાણો શું છે નિયમ 1 - image

Image: FreePik

નવી દિલ્હી,તા. 10 ઓગસ્ટ 2023, ગુરુવાર 

ભારતમાં ચોમાસા દરમિયાન ગામડાઓમાં ખેતરો અને ઘરોમાં અવારનવાર સાપ નીકળે છે. જેના કારણે સાપ કરડવાના સમાચાર આવતા રહે છે. દેશમાં સાપની કુલ 276 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 20-30 ટકા સાપ ઝેરી હોય છે. જેના કરડવાથી માણસ મૃત્યુ પામે છે. વરસાદમાં સાપ કરડવાના વધતા જતા મામલાઓને જોતા સરકારે ઘણા રાજ્યોમાં આપત્તિના કારણે તેને મૃત્યુ જાહેર કર્યું છે. 

સર્પદંશથી મૃત્યુના કિસ્સામાં, સરકાર પીડિત પરિવારને વળતર આપે છે. કેરળમાં, ભમરી અથવા ઝેરી માખીના કરડવાથી મૃત્યુના કિસ્સામાં પણ વળતર આપવામાં આવે છે. 

સાપ કરડવાથી કોઇ વ્યક્તિનું મોત થાય છે તો ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. બીજી તરફ જો કોઈ ખેડૂતનું સાપ કરડવાથી મૃત્યુ થયું હોય તો ખેડૂત વીમા યોજના હેઠળ આ વળતરની રકમ ઉમેરીને તેને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે.

ભારતમાં માત્ર સાપ કરડવાથી અને ઝેર ફેલાવવાથી 12 લાખથી વધુ લોકોના મોત થયા છે. તેમજ આમાંથી 97 ટકા મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં થયા છે. સાપ કરડવાથી મહિલાઓ કરતાં પુરૂષો વધુ મૃત્યુ પામ્યા છે. 

વળતર કેટલા સમયમાં મળે છે? 

સાપના ડંખથી થયેલા મૃત્યુનું વળતર મેળવવા માટે પીડિતનું પોસ્ટમોર્ટમ કરવું સૌથી મહત્વપૂર્ણ છે. તેના આધારે પીડિત પરિવારને મદદના પૈસા મળે છે. 

રાજ્ય સરકારના નિયમો અનુસાર 48 કલાકમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરીને વળતરની રકમ પીડિતાના નજીકના સંબંધીના ખાતામાં મોકલવામાં આવે છે.

સાપ કરડવાથી મૃત્યુ થાય તો શું કરવું? 

  • સર્પદંશથી મૃત્યુ થયા પછી, સંબંધીઓએ તરત જ લેખપાલને તેની જાણ કરવી જોઈએ.
  • તરત જ મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જાઓ અને તેની જાણ લેખપાલને કરો.
  • આ પછી, સમગ્ર કામ લેખપાલ, કાનુનગો, તહસીલદાર અને એડીએમ ઓફિસમાંથી થાય છે.

Google NewsGoogle News