મૂડ સ્વિંગ્સ, ડિપ્રેશન, નર્વસનેસ અનુભવો છો? તેનું સાચું કારણ જાણીલો, નહીતર મેન્ટલ હેલ્થ વધુ બગડશે

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
મૂડ સ્વિંગ્સ, ડિપ્રેશન, નર્વસનેસ અનુભવો છો? તેનું સાચું કારણ જાણીલો, નહીતર મેન્ટલ હેલ્થ વધુ બગડશે 1 - image


નવી મુંબઇ,તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર 

કેટલાક લોકોને ઘણીવાર એવી સમસ્યા હોય છે કે, તેઓ તરત જ ચિંતા અથવા ગભરાટના હુમલાથી પીડાય છે. તેની આ માનસિક સ્થિતિને કારણે તેને અનેક પ્રકારની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય છે તેમના શરીરમાં તરત જ કોઈ ખાસ વિટામિનની ઉણપ થઈ જાય છે. આ ખાસ વિટામિનની ઉણપને કારણે તેઓ માનસિક સમસ્યાઓ, ચિંતા અને ગભરાટ અનુભવે છે. 

આ રીતે વિટામિન મગજ પર અસર કરે છે

શરીરમાં વિટામિન્સની ઉણપ એ ચિંતા અને ગભરાટના હુમલાનું કારણ છે. આ સાંભળીને તમે વિચારતા જ હશો કે આવું કેવી રીતે થઈ શકે? 

સૌથી પહેલા તમારે જાણી લેવું જોઈએ કે, કેટલાક એવા વિટામિન્સ છે જેનું સેવન કરવાથી તમારું મગજ વધુ સક્રિય બને છે. આ તમારા મગજની કાર્ય કરવાની રીતને ખૂબ અસર કરે છે. તે જ સમયે, તે તમારા હોર્મોન્સને પણ ઘણી અસર કરે છે. જેના કારણે ડિપ્રેશન આવી શકે કે ન પણ થઈ શકે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, મગજ પર સૌથી વધુ અસર કરે છે તે વિટામિન કયું છે?

વિટામિનની ઉણપ મગજ પર અસર

વિટામિન ડી મગજમાં ન્યુરો-સ્ટીરોઈડની જેમ કામ કરે છે અને ચિંતા અને ડિપ્રેશનને કાબૂમાં રાખવાનું કામ કરે છે. જે લોકોના શરીરમાં વિટામિન ડી-3ની ઉણપ હોય છે તેઓ ઘણી વાર નર્વસ થવા લાગે છે. આ એક વિટામિન છે જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં તેની ઉણપ હોય છે, ત્યારે સિઝોફ્રેનિયા, ડિપ્રેશન અને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરનો રોગ વધે છે. આ કારણે ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

વિટામિન ડીની ઉણપથી કેવી રીતે બચવું?

જો તમે વિટામિન ડીની ઉણપથી બચવા સૌથી પહેલા સવારે ઉઠીને થોડીવાર તડકામાં બેસવુ જોઇએ. બીજું, તમારા આહારમાં શક્ય તેટલું વિટામિન ડી સામેલ કરો. જેમ કે, ઈંડા, દૂધ, બદામ અને ડ્રાયફ્રૂટ્સ. 


Google NewsGoogle News