તમે માઈગ્રેનથી પરેશાન છો? તુરંત રાહત મેળવવા માટે કરો આ ચાર યોગ અભ્યાસ
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર 2023 શનિવાર
માઈગ્રેન એક સામાન્ય માથાના દુખાવાની સમસ્યા છે જે ઘણા લોકોને અસર કરે છે. માઈગ્રેનમાં માથાની એક તરફ કે આખા માથામાં પલ્સેટિંગ દુખાવો થાય છે જે માઈગ્રેનના એટેક સમાન હોય છે. અમુક માઈગ્રેનનો દુખાવો એટલો ભયંકર હોય છે કે વ્યક્તિ કામ કરવામાં અસમર્થ થઈ જાય છે. માઈગ્રેનના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે તણાવ, હોર્મોનલ પરિવર્તન, ભોજન, મોસમ પરિવર્તન વગેરે. માઈગ્રેન માટે દવાઓ તો મળી જાય છે પરંતુ તેનાથી સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે. દરમિયાન યોગ એક સુરક્ષિત અને કુદરતી વિકલ્પ હોય છે જેનાથી માઈગ્રેનથી રાહત મળી શકે છે. યોગના માધ્યમથી શ્વસન, ધ્યાન અને મુદ્રાઓના અભ્યાસથી માઈગ્રેનને ઠીક કરવામાં આવી શકાય છે.
જાણો માઈગ્રેન માટે કયો યોગ અભ્યાસ કરી શકાય
પદ્માસન
પદ્માસન એક ખૂબ જ લાભદાયક યોગ મુદ્રા છે. આને યોગ્ય રીતે કરવા માટે અમુક તબક્કાઓનું અનુસરણ કરવુ જોઈએ. સૌથી પહેલા તો સીધા બેસવુ, પગને સામેની તરફ સીધા રાખવા. પછી ઘૂંટણને વાળીને પગના તળિયાને એકબીજાની નજીક લાવવા જોઈએ. બાદમાં બંને પગને ભેગા કરો. બંને હાથને ઘૂંટણ પર રાખવા અને કરોડરજ્જુ સીધી રાખવી. પછી ધીમે-ધીમે આગળ તરફ ઝુકાવતા માથા અને છાતીના ઘૂંટણો તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મુદ્રામાં 15થી 30 સેકન્ડ સુધી રાખવી. અંતે સામાન્ય સીધી સ્થિતિમાં પાછુ આવી જવુ.
અધોમુખ શ્વાનાસન
અધોમુખ શ્વાનાસન એક ખૂબ જ લાભદાયક યોગાસન છે. આને યોગ્ય રીતે કરવા માટે અમુક જરૂરી તબક્કાઓનું પાલન કરવુ જોઈએ. સૌથી પહેલા પેટના બળ સૂઈ જવુ. પછી બંને હાથોને શરીરના નીચલા ભાગની પાસે રાખો. હવે ધીમે-ધીમે શ્વાસ લેતા માથા અને છાતીની ઉપરની તરફ ઉઠાવવુ જોઈએ. ખભા પર ભાર નાખીને 15થી 30 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહેવાનો પ્રયત્ન કરવો. પછી શરીરને આરામ આપવા માટે ધીમે-ધીમે સામાન્ય સ્થિતિમાં પાછુ ફરવાનું છે. આ યોગાસનને નિયમિત કરવાથી ખૂબ લાભ મળે છે.
બાલાસન
બાલાસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણના બળે બેસવુ પડશે. પછી ધીમે-ધીમે ઘૂંટણને છાતી સાથે અડકાવીને પગને પાછળ તરફ લઈ જવા અને ભુજાઓને સામે તરફ ફેલાવવી. હવે ધીમે-ધીમે માથાને પાછળ તરફ લઈ જતા પીઠને આગળ તરફ ઝુકાવવી. આ મુદ્રામાં થોડા સમય સુધી રહીને સામાન્ય સ્થિતિમાં પાછુ આવી જવુ જોઈએ. આ યોગાસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરને અનેક લાભ મળે છે.
શવાસન
શવાસન ખૂબ જ લાભદાયક પ્રાણાયામ છે. આને યોગ્ય રીતે કરવા માટે અમુક જરૂરી તબક્કાઓનું પાલન કરવુ જોઈએ. સૌથી પહેલા સીધા બેસવુ જોઈએ અને આંખો બંધ કરી લેવી જોઈએ. ઊંડા શ્વાસ લેતા નાકથી શ્વાસ અંદર ભરવાનો છે અને મોઢાથી બહાર કાઢવાનો છે. આ પ્રક્રિયાને અમુક મિનિટ સુધી નિયમિત રીતે કરો. શવાસનથી તણાવ ઘટે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આને નિયમિત કરવાથી માઈગ્રેનમાં ખૂબ લાભ થાય છે.