ભીરંડીયારા પાસે ટ્રેઇલરની અડફેટે બે ભેંસોના મોત : ત્રણ ઘાયલ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ભીરંડીયારા પાસે ટ્રેઇલરની અડફેટે બે ભેંસોના મોત : ત્રણ ઘાયલ 1 - image


ખાવડા રોડ પર બેફામ દોડતા ભારે વાહનોનો ત્રાસ

અકસ્માતથી માલધારીને થયું ત્રણ લાખનું નૂકશાન

ભુજ: ભુજ તાલુકાના ખાવડા રોડ પર બેમાફ દોડતા વાહન ભારે વાહનો થકી અનેક પશુ અને માનવ જીંદગી કાળનો કોળીયો બની રહ્યા છે. ત્યારે ભીરંડીયાર શનિવાર વહેલી પરોઢે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પૂરપાર્ટ ઝડપે આવી રહેલા ટ્રેઇલરના ચાલકે પાંચ ભેંસોને અડફેટે લઇ તે પૈકી બેના મોત નીપજાવ્યા હતા. જ્યારે ત્રણ ભેંસોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગાડી ચાલક સામે ખાવડા પોલીસ મથકે માલધારીએ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભીરંડીયારા ગામે રહેતા માલધારી મુસા સાધક રાયશીએ ટ્રેઇલરના ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ૩૦ ભેંસોને લઇ સવારે ચાર વાગ્યે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે આરોપી ટ્રકના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને સામેથી ફરિયાદીને ભેંસોને અડફેટે લીધી હતી. જેમાં બેર ભેંસોનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ ભેંસને ઇજા પહોંચી હતી. ખાવડા પોલીસે ગાડીના ચાલક વિરૂધ ગુનો નોંધીને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.  


Google NewsGoogle News