દુધઈમાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધું

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
દુધઈમાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધું 1 - image


આદિપુરમાં યુવાને બીમારીથી કંટાળી ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં અકસ્માત મોતનાં બે બનાવો સામે આવ્યા હતા. જેમાં અંજારનાં દુધઈ ગામમાં રહેતી સગીરાએ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધું હતું. તો બીજી બાજુ આદિપુરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળીને ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર અંજારનાં દુધઈ ગામમાં રહેતી ૧૪ વર્ષીય નમીનાબાઈ ઈલિયાસભાઈ સમાએ પોતાના મકાનમાં કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળેફાસો ખાઈ લીધું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે દુધઈ પોલીસે અકસ્માત મૃત્યુ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ આદિપુરનાં સાતવાડી ડેલમોન એપાર્ટમેન્ટમાં રહેતા ૪૦ વર્ષીય પ્રેમજીભાઈ એમ. મહેશ્વરીએ ટી.બી.ની બીમારીથી કંટાળી પોતાના મકાનમાં ગળેફાસો ખાઈ લીધું હતું. જેમાં તેમનું મોત થયું હતું. આદિપુર પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News