એન.આઇ.એ.ની ટીમ દ્વારા દાહોદમાં ખાલિસ્તાની પ્રવૃત્તિ અંગે તપાસ

કેટલાક લોકોની પૂછપરછ કરી એકને લઇ ગયા હોવાની પણ ચર્ચા

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
એન.આઇ.એ.ની ટીમ દ્વારા દાહોદમાં  ખાલિસ્તાની પ્રવૃત્તિ અંગે તપાસ 1 - image

દાહોદ ખાલિસ્તાની  પ્રવૃત્તિને લગતી માહિતી  એન.આઇ.એ.ની ટીમને મળતા દાહોદમાં તપાસ  હાથ ધરી  હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સત્તાવાર રીતે આ વાતને કોઇ સમર્થન આાપી રહ્યું નથી.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ ખાતે છેલ્લા  ચાર દિવસથી એન.આઇ.એ.ની ટીમે ધામા નાંખ્યા  હતા. જોકે બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ, દાહોદ શહેરના સિંગલ ફળિયામાં ખાલિસ્તાની પ્રવૃત્તિના તાર જોડાયા હોવાનું અથવા તો ખાલિસ્તાની પ્રવૃત્તિ સાથે સંપર્ક ધરાવતા કેટલાક શકમંદો અહીંયા આવ્યા હોવાનું ધ્યાને આવતા એન.આઇ.એ. ની ટીમે સિંગલ ફળિયામાં છાપા મારી શંકાસ્પદની પૂછપરછ કરી એકને લઈ ગયા હોવાનું પણ દાહોદ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે સ્થાનિક પોલીસ પાસેથી કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ  શકી નહતી. 


Google NewsGoogle News