ગાંધીધામમાં બંધ મકાનનું તાળું તોડી રોકડ અને દાગીના ચોરાયાં

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં બંધ મકાનનું તાળું તોડી રોકડ અને દાગીના ચોરાયાં 1 - image


૨૫ હજાર રોકડા અને ૨૬ હજારની કિંમતનાં સોના - ચાંદીનાં દાગીના ચોરાયા

ગાંધીધામ: ગાંધીધામનાં વોર્ડ નં ૭-બી, સિંધુબાગ ગાર્ડન પાસે બંધ મકાનનું તાળું તોડી ઘરમાં અપપ્રવેશ કરી તિજોરીમાંથી રોકડા રૂપિયા અને સોના - ચાંદીનાં દાગીના સહીત કુલ ૫૧,૦૦૦ ની માલમત્તા ચોરી જવાયાની ફરિયાદ નોંધાવાઈ છે.

મૂળ મધ્યપ્રદેશનાં હાલે ગાંધીધામનાં વોર્ડ નં ૭-બી, સિંધુબાગ ગાર્ડન સામે રહેતા અને મુન્દ્રા આઈ ઓ સી એલમાં મેનેજર તરીકે કામ કરતા આદિત્યસિંહ રાજનકુમારસિંહએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીનાં ઘરમાં લાઈટ ન હતી. જેથી ફરિયાદી તેના મકાનમાં તાળું મારી ગાંધીધામનાં ટાગોર રોડ પર આઈ ઓ સી એલનાં ગેસ્ટહાઉસમાં ગયા હતા. દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ફરિયાદીનાં મકાનનાં મેઈન દરવાજાનું લોક તોડી ઘરમાં અપપ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલા રોકડા ૨૫,૦૦૦ અને સોના - ચાંદીનાં દાગીના સહીત કુલ રૂ. ૫૧,૦૦૦નાં મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જેથી ફરિયાદીએ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી નોંધાવી હતી.


Google NewsGoogle News